Monday, February 19, 2007

ત્રાસવાદને…. – સૌપ્રિય સોલંકી “શૈલ”


રહેવા દે ! રહેવા દે ! ઓ ક્રૂર માનવી,

શીદને આચરે છે આ સંહારલીલા ઘાતકી.



દિવ્ય વસુંધરા તુ જ પાલવ, થયો રક્તથી રંજીત,

અરે ! ઓ કાયર તોયે રહ્યો તું દયાથી વંચિત.



ત્રાહીમામ, ત્રાહીમામ સંભળાય પોકાર વાયુમાં,

ત્રાસ, ત્રાસ તણી પીડા જગને દેખાય આ ત્રાસવાદમાં.



નથી ધર્મ, નથી કર્મ, નથી મર્મ – આ ત્રાસવાદને,

નથી હિંમત, સામી છાતીએ લડવા, આ ત્રાસવાદને.



નથી સગા, નથી સહોદર, નથી મા-બાપ, આ ત્રાસવાદને,

નથી સંસારનાં જીવોનાં જાનની કિંમત, આ ત્રાસવાદને.



સુંદર નયન રમ્ય સ્વર્ગ સમી, દીસતી દિવ્ય વસુંધરા,

દાનવોની પાસવી સંહારલીલામાં, સાણસે સપડાય વસુંધરા.



જેણે આપ્યું સર્વ સજીવ સૃષ્ટિને, અર્પ્યું પોતીકું ગણી,

જે સનાતન સકળ સૃષ્ટિનાં, વિશ્વકર્મા તું ધણી.



કોનું જગ, કોનું સ્વર્ગ, કોઈનું કશું ક્યાં રહ્યું છે છેક,

જ્યાં જુઓ ત્યાં નરક નરક, પ્રભુ તું જ હસતો મરક મરક !